જો દરેક જીવ આપણો મિત્ર છે,
એમ માનીને જીવીએ તો?
મને બે નવા અનુભવો થયા. પહેલો અનુભવ એ કે સમાજમાં ખૂણેખૂણે ઘણી પોઝિટિવિટી છે. બીજો અનુભવ એ કે વાંચકોને પોઝિટિવ સ્ટોરી અને પોઝિટિવ બાબતો વાંચવામાં ખૂબ રસ છે. માણસમાં ભલે એક યા બીજા સ્વરૂપે નકારાત્મકતા હોય, અને એ હોય જ કારણ કે...
ખરીદી કરોહકારાત્મકતાના કોડિયામાં
પ્રગટેલી શબ્દજ્યોતનો ઉજાસ
જોતજોતામાં આ શ્રેણીનાં છ પુસ્તકો થયાં. વાચકોએ તેને હૃદયથી આવકાર આપ્યો છે. વાચકોનો વંદન સાથે ખૂબ ખૂબ આભાર.
આ શ્રેણીનાં અગાઉનાં પુસ્તકોની જેમ જ આ પુસ્તકમાં પણ સમાજની ઊજળી બાજુને રજૂ કરવામાં આવી છે. . વિવિધ ક્ષેત્રે સુંદર કામ કરતી વ્યક્તિઓ કે સંસ્થાઓના ભલાં કાર્યોને...
રમેશ તન્નાએ જાન્યુઆરી 2022થી દર
મહિને સળંગ એક પુસ્તક પ્રકાશિત
કરવાનું શરૂ કર્યું છે.
ઑગસ્ટ, 2023 સુધીમાં 20 પુસ્તકો પ્રકાશિત કર્યાં છે. તેઓ આ રીતે કુલ 25 પુસ્તકો પ્રકાશિત કરવાનો પ્રયાસ કરશે
ખરીદી કરોપોઝિટિવ સ્ટોરી એક ઝાંખી
અર્ચન ત્રિવેદી નામનો એક સજ્જ અને નીવડેલો કળાકાર. તેના નામે નાટક લખાય અને ચાલે. તેના નામના સિક્કા પડે. પ્રતિભા ચિક્કાર અને સજ્જતા ભારોભાર. અચાનક ૨૫મા વર્ષે તેને કૅન્સર થયું. ત્રણ-ત્રણ કૅન્સરે તેને ઘેર્યો. જોકે તે સહેજે ડર્યો નહીં. અંદરની તાકાતથી કૅન્સર સામે લડ્યો. એક ક્ષણ માટે પણ ક્યારેય તેને લાગ્યું નહીં કે પોતે મરશે. અઢી વર્ષની લડતમાં ઘણા આરોહ-અવરોહ આવ્યા. જોકે છેલ્લું હાસ્ય જીવનનાયક અર્ચન ત્રિવેદીનું જ હતું.
આ છે કૅન્સરને એક કળાકારે આપેલા પરાજયની પ્રેરક ગાથા.
બીજી ફેબ્રુઆરી, ૨૦૦૩ના રોજ રાજકોટમાં સૌરાષ્ટ્રની પ્રથમ સેવાકીય બી.ટી. સવાણી કિડની હૉસ્પિટલનું બિલ્ડિંગ નિર્માણ પામ્યું. સ્વામી સચ્ચિદાનંદ મહારાજે લોકાર્પણ કર્યું. તેમણે કહ્યું કે અમારા જેવા ભગવાધારીઓનાં દર્શન ખૂબ કર્યાં, ડૉ. પ્રદીપ કણસાગરાનાં દર્શન કરો. ભૂમિપૂજન વખતે ડૉક્ટર ગુરુ અજીત ફડકેએ ડૉ. કણસાગરાને ટકોર કરી કે જો પોતાની પ્રેક્ટિસ ચાલુ રાખશો તો આ હૉસ્પિટલને કેવી રીતે ન્યાય આપી શકશો?
આને કહેવાય ‘સ્વચ્છ’ વતનપ્રેમ :
એનઆરઆઇ રામજીભાઈ પટેલની સફાઈઝુંબેશ અને અનોખી સમાજસેવા
દુનિયા ચાલે તેના કરતાં, ઊંધા રસ્તે ચાલી..
2022માં અમદાવાદની વસતી આશરે 85 લાખની હશે. આ મહાનગરમાં દરરોજ અનેક પ્રસંગો ઊજવાય છે. 16મી જાન્યુઆરી, 2022, રવિવારના રોજ એક એવો અવસર યોજાયો જેને આપણે અપૂર્વ, ઐતિહાસિક અને પ્રેરક ઘટના કહી શકીએ. અમદાવાદના પાલડી-મહાલક્ષ્મી ચાર રસ્તા પાસે ‘ભગવાનનગરની ચાલી’ આવેલી છે. 1932માં આ ચાલીની સ્થાપના થઈ હતી. આ ચાલીમાં 30 ઘર છે. અનેક રીતે વિશેષ કહી શકાય તેવી આ ચાલીના રહીશોએ કોરોનાના કપરા કાળમાં, ખૂબ સાવચેતી સાથે, પોતાના હૃદયમાં પડેલાં અખૂટ પ્રેમ, લાગણી, સંવેદનશીલતા અને પરસ્પરની ઉત્કટ ભાવના સાથે ચાલીનો 91મો જન્મદિવસ ઊજવ્યો હતો.
ગુજરાત ખરેખર બડભાગી છે કે તેને સમયાંતરે માનવતાવાદી ડૉક્ટરો મળતા જ રહ્યા છે. ઉત્તર ગુજરાતના વિસનગરની બે ડૉક્ટર બહેનો, ડૉ. સ્મિતાબહેન જોષી અને ડૉ. શુક્લાબહેન રાવલે ભારતનાં ડાયાબિટીક બાળકો માટે જે કામગીરી કરી છે તે જેટલી રસપ્રદ છે એટલી જ પ્રેરક પણ છે.
ગુજરાતમાં ભૂતકાળમાં સર્વોદય પરિવારનાં હરવિલાસબહેન અને ચંદ્રકાંતાબહેને દક્ષિણ ગુજરાતના ધરમપુર વિસ્તારમાં આદિવાસીઓના ઉત્થાન માટે પિંડવળમાં બેસીને જે કામ કર્યું હતું તે નોંધપાત્ર હતું. હવે આપણને આ બીજી બે બહેનો મળી છે, જે લાખો પરિવારોના અંધકારને ઉલેચવા મથી રહી છે.
સંસ્થાનાં પ્રાણસમાં ભાવનાબહેને પોતાનું આખું જીવન મનોદિવ્યાંગોને સમર્પિત કર્યું છે. ભાવનાબહેન પ્રેમની મૂર્તિ છે. ભાવનાબહેન એટલે કરુણાનો સાગર, ભાવનાબહેનના મનહૃદયમાં દિવસ-રાત મનોદિવ્યાંગોનો વાસ રહે છે. એક કિસ્સો સાંભળો:
તેમનાંં માતાનું નામ શાંતાબહેન અને પિતાનું નામ બાબુભાઈ. પાંચમી પેઢીએ કવિ-સર્જક મીર મુરાદ થયેલા એ રીતે સાંસ્કૃતિક શૈક્ષણિક અને સાહિત્યિક વારસો જશુભાઈને મળેલો. જશુભાઈનું વતન સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાનું કડિયાદરા ગામ. ઇડરિયા ગઢની તળેટીમાં આવેલા આ ગામની પાડોશમાં પોળોનાં જંગલો આવેલાં છે.
લેખકના આગામી પ્રવચનો
સહજ દાહોદ અને દાહોદ ભગિની સમાજના સંયુક્ત ઉપક્રમો
પોઝિટિવિટી : હૃદયમાંથી અમલમાં
વક્તા શ્રી રમેશ તન્ના
તારીખ : 19 ઓગસ્ટ 2023
સમય : 4:00 થી 6:00, સ્થળ દાહોદ ભગીની સમાજ અમીન પેટ્રોલ પંપની બાજુમાં, દાહોદ
ધી ઓરિએન્ટ કલબ
મનનું મોતી વ્યાખ્યાન માળા
વિષય : "હકારાત્મકતા" વ્યક્તિથી સમાજ સુધી
વક્તા શ્રી રમેશ તન્ના
તારીખ : 27 ઓગસ્ટ 2023
સમય : 6 સાંજે પ્રવેશ નિશુલ્ક
આગામી કાર્યક્રમો
પ્રિય સહદય-સ્વજન વૈશ્વિક ગુજરાતી સંગઠન (ગ્લોબલ ગુજરાતી ફેડરેશન) તરફથી યોજાયેલા સૅલ્યુટ ઇન્ડિયા એવોર્ડ વિતરણ સમારંભમાં આપને પધારવા આમંત્રણ છે.
સંવેદનશીલ પ્રતિભદ્ર 'વિશ્વમાનવી' ઓને પોંખવા તથા અવસરની માણવા અચૂકપધારશો.
માનવંતા મહેમાનો
-
શ્રી કિરીટભાઈ પરમાર (મેયર અમદાવાદ)
-
શ્રી રામજીભાઈ પટેલ (અમેરિકા)
-
નિશીથ મહેતા (ભાવનગર)
સેલ્યુટ ઇન્ડિયા એવોર્ડ સમારંભ
સ્થળ : જે.બી. ઓડિટોરિયમ, એએમએ (અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન) અટીરાની બાજુમાં, આઇઆઇએમ રોડ, અમદાવાદ
સમય : સાંજે 6.00 થી 8.00, 13 મી ઓગસ્ટ 2023, રવિવાર (ઢળતા બપોરે 4:30 થી 5:30 અલ્પાહાર અને સમાજનાયક સંમેલન)
નિમંત્રક : અનિતા - રમેશ તન્ના
લેખકનો પરિચય
રમેશ તન્ના
રમેશ તન્ના પત્રકાર, સંપાદક, લેખક, વક્તા અને સમાજસેવક છે. પહેલી ડિસેમ્બર, 1966ના રોજ ઉત્તર ગુજરાતમાં પાટણ જિલ્લાના સમી તાલુકાના અમરાપુર ગામમાં તેમનો જન્મ. માતા પ્રભાબહેન પાસેથી માતૃભાષા તથા સંવેદના, પિતા પ્રભુરામ પાસેથી ઉદારતા તથા સરળતા અને ગામ અમરાપુર પાસેથી સામાજિક દાયિત્વનો વારસો તેમણે ઝીલ્યો. બી.કૉમ થયા પછી તેમણે પત્રકારત્વ વિષયમાં પણ સ્નાતકની ઉપાધિ મેળવી. એ પછી મહાત્મા ગાંધી સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠમાંથી તેઓ પત્રકારત્વ વિષયમાં પારંગત (માસ્ટર) થયા. અહીં જ તેમણે બે વર્ષ પત્રકારત્વ વિભાગમાં પૂર્ણ સમયના વ્યાખ્યાતા તરીકે ફરજ બજાવી. સ્વતંત્ર રહીને સમાજ ઉપયોગી લેખન કરવાના પ્રયોજન સાથે તેમણે નોકરી છોડી. વિવિધ અખબારોમાં મુક્ત રીતે લખતા રહ્યા. થોડાં વર્ષો જીવનસાથી અનિતા જતકર સાથે 'અમદાવાદ ટુડે' સાપ્તાહિક અને 'સંગોષ્ઠિ ફીચર્સ એજન્સી'નું સંચાલન કર્યું.
1999થી 2013 સુધી, ચૌદ વર્ષ તેમણે અમેરિકાથી પ્રકાશિત થતા સાપ્તાહિક 'ગુજરાત ટાઇમ્સ'માં મનવાસ ભોગવ્યો. અહીં તેમણે પત્રકાર, પૂર્તિ-સંપાદક અને નિવાસી તંત્રી તરીકે ફરજ બજાવી. આદર્શ અને સત્ત્વશીલ સામયિકનું સર્જન કરવામાં તેઓ સફળ રહ્યા. સને 2013થી તેઓ મુક્ત રીતે લેખન કરે છે. ગુજરાતી ભાષામાં તેઓ પૉઝિટિવ પત્રકારત્વના પ્રણેતા ગણાય છે. તેઓ 1990થી સમાજોપયોગી, વિકાસલક્ષી અને વિધેયાત્મક લેખન કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં તેમણે 2013થી પૉઝિટિવ પત્રકારત્વનો પ્રારંભ કર્યો જેને વાચકો તરફથી સુંદર પ્રતિસાદ મળ્યો. તેમનાં પૉઝિટિવ શ્રેણીનાં પુસ્તકો સમાજમાં હકારાત્મકતા પ્રસારી રહ્યાં છે.
સમાજ શ્રેણીની પુસ્તકો
આ શ્રેણીનાં તમામ દસ પુસ્તકોની યોજના : 50 ટકા વળતર
આ શ્રેણીનાં પુસ્તકોએ સમાજ પર મોટી હકારાત્મક અસર કરી છે. વાચકોએ આ પુસ્તકો હોંશે-હોશે વાંચ્યાં છે અને વાંચી રહ્યા છે. ભેટ આપવા માટે પણ આ શ્રેણીનાં પુસ્તકો ઉત્તમ ગણાય છે. આ પુસ્તકોને પારિતોષિકો મળ્યાં છે.
કોઈની હતાશા ગઈ છે તો અનેક લોકોને જીવન જીવવાની નવી દિશા મળી છે.
કોરોનાકાળમાં આ શ્રેણીનાં પુસ્તકોએ સેંકડો લોકોને હિંમત અને બળ આપ્યાં હતાં. અમદાવાદની સિવિલ હૉસ્પિટલ-એસવીપી હૉસ્પિટલ સહિત ઘણાં સ્થળોએ દર્દીઓએ આ પુસ્તકો વાંચીને મનોબળ ટકાવી રાખ્યું હતું.
ગુણીજનોના પ્રતિભાવો
Coming Soon
There are many variations of passages of lorem ipsum available.
10 પુસ્તકોનો બાંધો
Latest Articles
There are many variations of passages of lorem ipsum available.
Məhsulunuzu Www 1win-azecom Ilə Necə Ayırmaq Olar
- Posted by admin
- 0 comments
sp5der 555 Worldwide Hoodies for Artistic Expression Custom Designs by Artists
- Posted by admin
- 0 comments
Vulkan Vegas Bonus Computer Code 2024 Aktionscode 55 Freispiele
- Posted by admin
- 0 comments
Vulkan Sin City Casino » Erfahrungen 1000 + A Hundred Twenty Five Fs 2024
- Posted by admin
- 0 comments
નવી, દુર્લભ અને છપાયેલી પુસ્તકો
જ્યારે કોઈ અજાણ્યા પ્રિન્ટર પ્રકારે ગેલી લઈને તેને બનાવવા માટે રખડતા હતા.
જ્યાં પુસ્તકો અને લોકો મળે છે
ઘણા ડેસ્કટોપ પબ્લિશિંગ પેજ વેબ પેકેજ એડિટર્સ તરીકે હવે ઉપયોગ કરે છે.